સાંતલપુર તાલુકા ના પાટણકા ગામ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ૧૫ મી ઓગસ્ટ ની અનેરી ઉજવણી

હિન્દ ન્યુઝ, સાંતલપુર

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના પાટણકા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ૧૫મી ઓગસ્ટ ની અનેરી ઉજવણી કરવામાં આવી.

જેમાં અલગ અલગ ૫ ગામમાં કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એક ગામ દીઠ ૧૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ૧) પરસુંદ – ૧૦૦, ૨) ડાભી -૧૦૦, ૩) બાબરા – ૧૦૦, ૪) રણમલપુર – ૧૦૦, ૫) પાટણકા – ૧૦૦ આમ, કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમ મા પાટણ જિલ્લાના ઉપ પ્રમુખ સાંકાજી ઠાકોર, ભોજાભાઈ, સરપંચ, સભ્યો તેમજ શિક્ષકગણ, ગ્રામજનો વૃક્ષારોપણ પ્રસંગે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment