હિન્દ ન્યુઝ, સાંતલપુર
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના પાટણકા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ૧૫મી ઓગસ્ટ ની અનેરી ઉજવણી કરવામાં આવી.
જેમાં અલગ અલગ ૫ ગામમાં કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
એક ગામ દીઠ ૧૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ૧) પરસુંદ – ૧૦૦, ૨) ડાભી -૧૦૦, ૩) બાબરા – ૧૦૦, ૪) રણમલપુર – ૧૦૦, ૫) પાટણકા – ૧૦૦ આમ, કુલ ૫૦૦ રોપા નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમ મા પાટણ જિલ્લાના ઉપ પ્રમુખ સાંકાજી ઠાકોર, ભોજાભાઈ, સરપંચ, સભ્યો તેમજ શિક્ષકગણ, ગ્રામજનો વૃક્ષારોપણ પ્રસંગે હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર